નેતાજી સુભાષચંદ્ર બોઝ પર નિબંધ ગુજરાતી [2024]

નેતાજી સુભાષચંદ્ર બોઝ પર નિબંધ | Subhash Chandra Bose Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Subhash Chandra Bose Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.

નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ

અહીં ગુજરાતી સુભાષચંદ્ર બોઝ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150 થી 250 શબ્દોમાં છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતીમાં નિબંધ

  1. પ્રસ્તાવના
  2. પરિચય
  3. શિક્ષા
  4. પદ
  5. યોગદાન
  6. ઉપસંહાર
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત કરી. જ્યાર પછી સુભાષના મનમાં અંગ્રેજો પ્રત્યેની કડવાશે ઘર કરી લીધુ. ત્યારપછી સુભાષ ચંદ્ર અંગ્રેજોને ભારતમાંથી ધકેલીને ભારતને સ્વતંત્ર બનાવવાનો આત્મસંકલ્પ લઈને રાષ્ટ્રકર્મના રસ્તે ચાલી નીકળ્યા આઈસીએસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી સુભાષ ચંદ્ર બોસે આઈસીએસમાંથી રાજીનામુ આપ્યુ. આ વાત પર તેમના પિતાએ તેમનુ મનોબળ વધારતા કહ્યુ - કે જ્યારે તે દેશસેવાનુ વ્રત લઈ જ લીધુ છે તો ક્યારેય આ રસ્તેથી પાછળ ફરીને ન જોઈશ.

ડિસેમ્બર 1927માં કોગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પછી 1938માં તેમને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે કહ્યુ કે - મારી એ ઈચ્છા છે કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ આપણે સ્વાધીનતાની લડાઈ લડવાની છે. અમારી લડાઈ ફક્ત બ્રિટિશ સામાજ્યવાદ સાથે નથી, વિશ્વ સામ્રાજ્યવાદ સાથે પણ છે. ધીરે ધીરે કોગ્રેસમાંથી સુભાષનો મોહ ઓછો થવા લાગ્યો. 16 માર્ચ 1939ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. 

સુભાષચંદ્ર બોઝ સ્વતંત્રતા આંદોલનની એક નવી રાહ બતાવતા યુવાઓને સંગઠિત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો શરૂ કરી દીધો. જેની શરૂઆત 4 જુલાઈ 1943ના રોજ સિંગાપુરમાં ભારતીય સ્વાધીન સંમેલનની સાથે થઈ. 5 જુલાઈ 1943માં આઝદ હિન્દ ફોઝની રચના થઈ. 21 ઓક્ટોબર 1943ના રોજ એશિયાના વિવિધ દેશોમાં રહેનારા ભારતીયોનુ સંમેલન કરી તેમા અસ્થાયી સ્વતંત્ર ભારત સરકારની સ્થાપના કરી નેતાજીએ આઝાદી મેળવવાનો સંકલ્પ સાકાર કર્યો.

12 સપ્ટેમ્બર 1944ના રોજ રંગૂનના જુબલી હોલમાં શહીદ યતીત્દ્રદાસના સ્મૃતિ દિવસ પર નેતાજીએ અત્યંત માર્મિક ભાષણ આપતા કહ્યુ - હવે આપણી આઝાદી નિશ્ચિત જ છે. પરંતુ સ્વતંત્રતા બલિદાન માંગે છે. 'તમે મને લોહી આપો, હુ તમને સ્વતંત્રતા આપીશ'. આ વાક્ય દેશના નવયુવાનોમાં પ્રાણ ફૂંકનારું વાક્ય હતુ, જે ભારતમાં જ નહી પરંતુ વિશ્વના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરોએ અંકિત છે.

ત્યારબાદ ડિસેમ્બર 1944માં ઈન્ડિયન નેશનલ આર્મી બર્મા-ભારત બોર્ડર ઓળંગીને કોહિમા અને પછી ઈમ્ફાલ પહોંચી. પરંતુ જાપાનીઓના શરણાગતિએ તેને પીછેહઠ કરવા અને યુદ્ધને બંધ કરવાની ફરજ પડી. એવું માનવામાં આવે છે કે તેણે 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈહોકુ એરપોર્ટ, ફોર્મોસા પર પ્લેન-ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ માં સુભાષચંદ્ર બોઝનો ઘણું મોટું યોગદાન હતું .સુભાષ ચંદ્ર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તો અને બંગાળના ગૌરવ હતા. તેઓ તેમના જીવનકાળમાં એક મહાન નેતા, સારા વક્તા અને આયોજક તરીકે દંતકથા બની ગયા. 1920-1941 દરમિયાન તેમને અગિયાર મી વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સુભાષ ચંદ્રે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતાની તરફેણ કરી હતી જ્યારે કોંગ્રેસ શરૂઆતમાં તબક્કાવાર સ્વતંત્રતાની તરફેણમાં હતી. તેઓ અંગ્રેજોના સાથી તરીકે ભારતના બીજા વિશ્વયુદ્ધમાં જોડાવાના વિરોધમાં પણ હતા.આપણા સુભાષચંદ્ર બોઝ ભારત દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

16 ઓગસ્ટ 1945ના રોજ ટોકિયો માટે નીકળતા તાઈહોકુ હવાઈ મથક પર નેતાજીનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને સ્વતંત્ર ભારતની અમરતાનો જયનાદ કરનારા, ભારત માતાના વ્હાલા, કાયમ માટે રાષ્ટ્રપ્રેમની દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમર થઈ ગયા.

10 Lines on Subhash Chandra Bose in Gujarati

સુભાષચંદ્ર બોઝ વિશે 10 વાક્યો :
  1. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટકમાં થયો હતો.
  2. તેઓ યુવાનોમાં 'નેતાજી' ના નામથી પ્રખ્યાત હતા.
  3. 'તુમ મુઝે ખુન દો, મેં તમને આઝાદી દુંગા' નેતાજીનો પ્રખ્યાત નારો હતો.
  4. 1921માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.
  5. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે આઝાદ હિંદ ફોજની રચના કરી.
  6. ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું.
  7. નેતાજીના મૃત્યુ અંગે ઘણી અટકળો આજે પણ પ્રવર્તે છે.
  8. તેમનું જીવન અને કાર્ય ભારતીય સ્વતંત્રતા ચળવળનો મહત્વનો ભાગ છે.
  9. નેતાજી ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.
  10. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં નેતાજીનું યોગદાન અમૂલ્ય છે.

સુભાષચંદ્ર બોઝ નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Subhash Chandra Bose Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સુભાષચંદ્ર બોઝ નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષામાં સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ SaralEssay.in બ્લોગ આર્ટિકલમાં ગુજરાતી ભાષામાં સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ Subhash Chandra Bose Essay in Gujarati વિશે સંપૂર્ણ નિબંધ આપ્યો છે. છતાં કોઈ ભલામણ કે સૂચન  હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું લખાણ ગમ્યું હશે. અમે જેમ બને એટલી સારી અને નવી Latest માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ભણવામાં ઉપયોગી બની શકે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો અને અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.